ભારતનો
રાષ્ટ્રધ્વજ
રાષ્ટ્રધ્વજ
વિશે વધુ માહિતી મેળવો.
ધ્વજ પ્રમાણ: ૨:૩
ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા તા. ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ 'બંધારણ સભા'ની
બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ
તરીકે ત્રિરંગા (तिरंगा) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના
રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.
૧૯૪૭માં
પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા
દ્વારા રચિત ભારતીય
રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો.
આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો
ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે.
કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્રસારનાથના સિંહાકૃતિ વાળા અશોક
સ્થંભ માંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને
લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય
સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ
સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.

